‘અમરકોશ’ના અનુવાદક: કે.કા. શાસ્ત્રી
‘અમરકોશ’ના અનુવાદક: કે.કા. શાસ્ત્રી ડો. બિપિન ચૌધરી ‘કે.કા.શાસ્ત્રી’ કે ‘શાસ્ત્રીજી’ના હુલામણા નામે દેશભરમાં જાણીતા કેશવરામ કાશીરામ શાસ્ત્રી (બાંભણિયા) દાયકાઓ સુધી સાહિત્યિક, સામાજિક, ધાર્મિક અને રાજકીય પ્રવૃત્તિઓ અને સંસ્થાઓ સાથે સંકળાયેલા રહ્યા છે. ‘વિદ્યાવાચસ્પતિ’, ‘પદ્મશ્રી’, ‘મહામહિમોપાધ્યાય’ ‘ભારત-ભારતી રત્ન’ , ‘બ્રહ્મર્ષિ’, ‘વિદ્યાવિભૂષણ’ જેવા અનેક માન- સન્માનથી વિભૂષિત ગુજરાતી તથા સંસ્કૃત ભાષાના આ પ્રખર પંડિતની સર્જનયાત્રા તેમના દીર્ઘાયુ જેટલી માતબર અને અમૂલ્ય રહી છે. સંશોધક- સંપાદક, ભાષાશાસ્ત્રી, વિવેચક, કોશકર્તા અને અનુવાદક તરીકેની બહુમુખી પ્રતિભા ધરાવનાર કે.કા. શાસ્ત્રીજી પાસેથી લગભગ 240 જેટલાં પુસ્તકો અને 1500 થી વધુ લેખ મળે છે. કે.કા. શાસ્ત્રીજી પાસેથી સંશોધન- સંપાદન- વિવેચનની સાથે અનુવાદના ગ્રંથો પણ મળે છે. પોતાના વતન માંગરોળમાં પ્રાથમિક- માધ્યમિક શિક્ષણ દરમિયાન શાસ્ત્રીજીએ અનુવાદ કરવાનો પ્રારંભ કરેલો. આમ કિશોરવયથી શાળેય- અભ્યાસની જોડાજોડ એમની અનુવાદ પ્રવૃત્તિ ચાલુ રહી છે. મુખ્યત્વે સ...