પોસ્ટ્સ

માર્ચ 6, 2025 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

વાક્કૌશલ (વાક્ + કૌશલ)...3

વાક્કૌશલ (વાક્ + કૌશલ)...(૩) ---------------------------------------- વાણીનું સ્વરૂપ : વાણીનું પંચામૃત ---------------------------------------- પ્રા. ધીરેન્દ્ર રેલિયાના પુસ્તક "વાણીને ઝરૂખેથી"માં આ વાત  'વાણીનું પંચામૃત' શીર્ષક હેઠળ સરસ રીતે સમજાવી છે. એ વાંચવાથી આપણી વાણી કેવી હોવી જોઈએ તે સમજાશે. (૧) સુંદરતા ---------------- વાણી સતત સાંભળવી ગમે તેવી સુંદર, મનહર ને મનભર હોવી જોઈએ. (૨) સચોટતા ------------------ સાંભળનારને સ્પર્શી જાય અને ગળે ઘૂંટડો ઊતરી જાય તેવી સચોટ ભાષા હોવી જોઈએ. (૩) સહજતા ------------------ વાણી દંભ વગરની સહજ ને સ્વાભાવિક હોવી જોઈએ. (૪) સરળતા ----------------- ભાષા સૌને સમજાય તેવી સરળ ને લોકભોગ્ય હોવી જોઈએ. (૫) સંક્ષિપ્તતા -------------------- ભાષા સંક્ષિપ્ત અને મિતાક્ષરી હોવી જોઈએ. તાર કરતી વખતે દરેક શબ્દને તોળીએ તેમ વક્તાએ તોળીતોળીને શબ્દ વાપરવા જોઈએ. આ પંચામૃતમાં થોડું ઉમેરીએ : (૧) સ્નેહાળ ----------------- વાણી સ્નેહસભર, મનના ઘા ભરે તેવી હોવી જોઈએ. (૨) સત્ય આધારિત -------------------------- સત્યની પ્રતિષ્ઠા કરે એવી ભાષા હોવી જોઈએ. વાણીનું આવુ...

વાક્કૌશલ (વાક્ + કૌશલ)...(૪)

વાક્કૌશલ (વાક્ + કૌશલ)...(૪) ---------------------------------------- શબ્દ 'ફૂલ' છે અને તેનો અર્થ 'ફળ' છે. ----------------------------------------            અકારણ ન બોલો,            અપ્રિય ન બોલો,            વધુ પડતું ન બોલો,            કવેળાએ ન બોલો. વિચારો મૂળ તરીકે કામ કરે છે. મૂળ જેટલાં ઊંડાં હશે, વૃક્ષ તેટલું જ ઊંચું થઈ શકશે અને તેનાં ફૂલ અને ફળ સુકાશે નહીં. વાણીની મહત્તા -------------------- + પ્રસંગને અનુરૂપ બોલાયેલો શબ્દ સોનાની ટોપલીમાં મૂકેલા કોહિનૂરના હીરા સમાન છે. + શબ્દ શણગારી પણ દે,     શબ્દ સળગાવી પણ દે. + શબ્દ જ્યોત પણ છે,    શબ્દ જ્વાળા પણ છે. + શબ્દ ઘા પર નમક પણ ભભરાવી શકે અને શબ્દ ઘા પર ચંદનનો લેપ પણ કરી શકે છે. + માનવીના બોલ પરથી તેના જીવનનો તોલ થાય છે. (સૌજન્ય : 'વાણીને ઝરૂખેથી'   લેખક : પ્રા. ધીરેન્દ્ર રેલિયા) વાણી અને વક્તા ----------------------- + વક્તામાં માત્ર ચાતુર્ય જ નહીં,     ચારિત્ર્ય પણ હોવું જોઈ...