વાક્કૌશલ (વાક્ + કૌશલ)...(૪)
વાક્કૌશલ (વાક્ + કૌશલ)...(૪)
----------------------------------------
શબ્દ 'ફૂલ' છે અને તેનો અર્થ 'ફળ' છે.
----------------------------------------
અકારણ ન બોલો,
અપ્રિય ન બોલો,
વધુ પડતું ન બોલો,
કવેળાએ ન બોલો.
વિચારો મૂળ તરીકે કામ કરે છે. મૂળ જેટલાં ઊંડાં હશે, વૃક્ષ તેટલું જ ઊંચું થઈ શકશે અને તેનાં ફૂલ અને ફળ સુકાશે નહીં.
વાણીની મહત્તા
--------------------
+ પ્રસંગને અનુરૂપ બોલાયેલો શબ્દ સોનાની ટોપલીમાં મૂકેલા કોહિનૂરના હીરા સમાન છે.
+ શબ્દ શણગારી પણ દે,
શબ્દ સળગાવી પણ દે.
+ શબ્દ જ્યોત પણ છે,
શબ્દ જ્વાળા પણ છે.
+ શબ્દ ઘા પર નમક પણ ભભરાવી શકે અને શબ્દ ઘા પર ચંદનનો લેપ પણ કરી શકે છે.
+ માનવીના બોલ પરથી તેના જીવનનો તોલ થાય છે.
(સૌજન્ય : 'વાણીને ઝરૂખેથી'
લેખક : પ્રા. ધીરેન્દ્ર રેલિયા)
વાણી અને વક્તા
-----------------------
+ વક્તામાં માત્ર ચાતુર્ય જ નહીં,
ચારિત્ર્ય પણ હોવું જોઈએ.
+ વકતૃત્વની પાછળ કર્તૃત્વનું
બળ જોઈએ.
+ વિચાર, વાણી અને વર્તનમાં
એકરૂપતા હોય તો પ્રત્યેક
વ્યક્તિ વિભૂતિ બની શકે.
+ મન, વચન અને કર્મનો
ત્રિવેણીસંગમ એટલે મનુષ્યનું
વ્યક્તિત્વ અને ચારિત્ર્ય.
(ક્રમશઃ)
પ્રસ્તુતિ :
-----------
હર્ષદ પ્ર. શાહ
ઉપાધ્યક્ષ
માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન
સંપર્ક : ૯૯૭૯૮૪૧૬૫૦
બારડોલી
______________
ટીમ
✍🏼
ટીમ *Limited 10 પોસ્ટ* વતી
સંદીપ જોશી
(આ પોસ્ટ કોપી રાઈટ આરક્ષિત હોવાથી તેના લખાણમાં કોઈ ફેરફાર કરવો નહીં)
[23,000 વાચકો, *નિજાનંદ* અને *માતૃભાષાના પ્રસાર* માટે ધબકતું, *Limited 10 ✉ પોસ્ટ* ગ્રુપ, મારી ડિજિટલ પોકેટ
ટિપ્પણીઓ