પોસ્ટ્સ

ઑક્ટોબર 11, 2024 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

ગુજરાતી ભાષાના કેટલાક વિશિષ્ટ શબ્દપ્રયોગો : એક અભ્યાસ

 પૂર્વ પ્રાચાર્યા હંસાબેન દવેની આ પૉસ્ટ દરેક ગુજરાતીએ વાંચવી જ જોઈએ. ---------------------------------------- ગુજરાતી ભાષાના કેટલાક વિશિષ્ટ શબ્દપ્રયોગો : એક અભ્યાસ ----------------------------------------  સંસ્કૃત ભાષા જેની જનની છે અને જે ભાષાના શબ્દપ્રવાહને ઉર્દૂ , ફારસી અંગ્રેજી ભાષાના શબ્દોએ પુષ્ટ કર્યો છે તેવી ગુજરાતી ભાષાના કેટલાક વિશિષ્ટ શબ્દપ્રયોગો પર આજે એક નજર નાખીએ, તેનો અભ્યાસ કરીએ. ગુજરાતી ભાષાની એક વિશિષ્ટતા એ છે કે પ્રસંગ અને હેતુને સ્પષ્ટ કરતા શબ્દો અને શબ્દસમૂહનો વિશિષ્ટ પ્રયોગ કરવામાં આવે છે. મૃત્યુને આપણે અમંગલ માનીએ છીએ તેથી કોઈ પણ માણસ મૃત્યુ પામ્યો હોય તેમ આપણે કહેતા નથી. મૃત્યુ માટે - મોટે ગામતરે ગયા, પાછા થયા, દેવ થયા, કૈલાશવાસી થયા, વૈકુંઠધામ સિધાવ્યા, તો જૈન હોય તો અરિહંતશરણ પામ્યા એવા શબ્દ પ્રયોગો કરવામાં આવે છે. અને બને ત્યાં સુધી વાતચીતમાં મૃત્યુ મરણ વગેરે શબ્દો ટાળવામાં આવે છે. આ જ રીતે કોઈ સ્ત્રીનો પતિ મૃત્યુ પામ્યો હોય તો તે રાંડી કે વિધવા થઈ તેમ કહેવાને બદલે તે દુખાણી કે તેવા શબ્દપ્રયોગો વપરાય છે. આવો જ એક પ્રયોગ છે ખૂણો પાળવો, કે સ્ત્રીનો પતિ મ...

અંબા અભયપદ દાયિની રે !

 અંબા અભયપદ દાયિની રે  ! શ્યામા સાંભળજો સાદ ભીડભંજની, અંબા અભયપદ દાયિની રે ! હેમ હિંડોળે હિંચકે રે, હિંચે આરાસુરી માત ભીડભંજની, અંબા અભયપદ દાયિની રે ! સખીઓ સંગાથે કરે ગોઠડી રે, આવી આઠમની રાત ભીડભંજની, અંબા અભયપદ દાયિની રે ! સર્વે આરાસુર ચોકમાં રે, આવો તો રમીએ રાસ ભીડભંજની, અંબા અભયપદ દાયિની રે !  -- આ પ્ર-લંબ અને પ્ર-ખ્યાત અંબા-સ્તુતિ (ગરબો) સમગ્ર ગુજરાતી સમાજમાં, દેશ-પરદેશમાંય, અતિ લોકપ્રિય છે.અનેક ગાયકો/ગાયિકાઓએ આ ગરબાનું ગાન કરીને તેને વિશેષ લોકપ્રિયતા બક્ષી છે. આ રચનાની પ્રત્યેક કડીમાં 'ભીડભંજની' શબ્દ રિપિટ થયા કરે છે.  ભીડ = દુઃખ ,સંકટ,આપત્તિ  ભંજવું = ભાંગવું,તોડવું,નષ્ટ કરવું ભંજન = ભંજક, ભાંગનાર,તોડનાર. ભીડભંજન = દુઃખ ભાંગનાર દેવ  આ 'ભીડભંજન'નું સ્ત્રીલિંગ નામ થયું 'ભીડભંજની'  ભીડભંજની = સંકટ મટાડનાર દેવી  શ્યામા સાંભળજો સાદ ભીડભંજની ! આ ગરબાનો લાલિત્યપૂર્ણ લયહિલ્લોળ, કાઠિયાવાડી લહેકો અને લોકભોગ્ય, ગેયતાપૂર્ણ, સાદગીપૂર્ણ પદાવલિ આ રચનાને વિશેષ રમ્ય,રમણીય, રળિયામણી બનાવે છે. આ લોકપ્રિય રચનાના રચનાકાર કોણ ?  અંતિમ કડીમાં રચનાકારનું નામ આ...

મૃત્યુનો મહોત્સવ

 મૃત્યુનો મહોત્સવ ---------------------- સ્વજનના મૃત્યુના સમાચાર મળ્યા... ક્ષણભર તો વ્યથિત થયો, વિહ્વળ થયો, દુઃખી થયો... પણ...થોડીવારે ભારતની શાશ્વત વિચારધારાનો સંચાર થયો, સ્વસ્થ થયો, વિચાર્યું... જગદ્ગુરુ શ્રીકૃષ્ણ ગીતામાં કહે છે : नैनं छिन्दन्ति शस्त्राणि  नैनं दहति पावकः। न क्लेदयन्त्यापो  न शोषयति मारुतः।। આત્માનું સ્વરૂપ અદ્ભુત છે. શાસ્ત્રો એને છેદી શકતાં નથી, અગ્નિ એને બાળી શકતો નથી, પાણી એને ભીંજવી શકતું નથી કે પવન એને શોષી શકતો નથી. અર્થાત્ આત્મા અજર છે, અમર છે, અવિનાશી છે, શાશ્વત છે. આત્મા એ પરમાત્માનો અંશ હોવાને નાતે પરમ તત્ત્વનાં બધાં લક્ષણોથી અભિષિક્ત છે. મૃત્યુ એ તો મહોત્સવ છે. નવજીવનનું પ્રવેશદ્વાર છે. જીર્ણ દેહને, ખોળિયાને ત્યજીને હવે એ નવો દેહ ધારણ કરવાનો છે. પરમાત્મા એમના પવિત્ર આત્માને ચિરંતન શાંતિ અર્પો અને ઉચ્ચ કોટિની ગતિ આપો...એવી અંતરમનથી પ્રાર્થના કરું છું.                 આપનો સ્વજન               ------------------------- પ્રસ્તુતિ : ----------- હર્ષદ પ્ર. શાહ ઉપાધ્યક્ષ માતૃ...

વાસ્તુપૂજન પ્રસંગે આવી શુભેચ્છા વ્યક્ત કરી શકાય...

 વાસ્તુપૂજન પ્રસંગે આવી શુભેચ્છા વ્યક્ત કરી શકાય... ----------------------------------------                 વાસ્તુપૂજન                 --------------- આપ નવગૃહે મંગલ પ્રવેશ કરી રહ્યા છો, એવા શુભ પ્રસંગે હું મારી શુભ ભાવના અભિવ્યક્ત કર્યા વિના રહી શકતો નથી. હું ઇચ્છું છું કે - નવા ઘરમાં આપનું વાસ્તવ્ય આપને સર્વ પ્રકારે ફળે... દશે દિશાઓમાંથી આપને શુભ વિચારો મળે... સર્વ દેવી-દેવતાઓના આશીર્વાદ આપના ઉપર ઊતરે... આપનું ઘર શક્તિ, સ્ફૂર્તિ અને સંસ્કારોનું કેન્દ્રબિંદુ બની રહે... આપનું ઘર રાષ્ટ્રનું લઘુરૂપ બને... ભારત રાષ્ટ્રનાં બધાં જીવનમૂલ્યો સાકાર થાય... આપ આપના નવા ઘરમાં સુખ, સંપત્તિ, ઐશ્વર્ય અને આનંદનો નિત્ય અનુભવ કરતા રહો...              એ જ શુભ કામના સહ             આપનો સ્નેહાકાંક્ષી             ------------------------ પ્રસ્તુતિ : ----------- હર્ષદ પ્ર. શાહ ઉપાધ્યક્ષ માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન  સંપર્ક : ૯૯૭૯...

સ્વજનો/મિત્રોના લગ્નપ્રસંગે શુભેચ્છા શી રીતે પાઠવશો ?

 સ્વજનો/મિત્રોના લગ્નપ્રસંગે શુભેચ્છા શી રીતે પાઠવશો ? -------------------------------------         પ્રભુતામાં પગલાં...        ------------------------- આનંદ છે કે... ©️ તમે પ્રભુતામાં પગલાં માંડી રહ્યા છો... @ જીવનના માર્ગના એક સુંદર વળાંક પર આવીને ઊભા છો... @ અદ્વૈતનો સાક્ષાત્કાર કરવા જઈ રહ્યા છો... @ ગૃહસ્થાશ્રમમાં મંગલ પ્રવેશ કરવા જઈ રહ્યા છો... @ જીવનની અકલ્પ્ય અને અદ્ભુત ક્ષિતિજોને સ્પર્શવા જઈ રહ્યા છો... આવા માંગલિક પ્રસંગે,        મારી અંતરમનથી શુભ કામના છે કે... @ તમારું દાંપત્યજીવન સુખ, શાન્તિ, સંતોષ અને આનંદથી ભર્યું ભર્યું રહો... @ પરિવારની ભારતીય સંકલ્પના તમારા જીવનમાં સાકાર થાઓ... @ તેજસ્વી અને દિવ્ય સંતતિનું અવતરણ તમારે ત્યાં થાઓ... @ તમે એક અને એક અગિયાર થાઓ... @ તમારા જીવનની ક્ષણેક્ષણ સમાજ માટે ઉપયોગી નીવડો...                           એ જ...             તમારો/તમારી પ્રિયદર્શી           ...