નાટ્યાચાર્ય સ્તનિસ્લાવસ્કી
નાટ્ યા ચાર્ય સ્તનિસ્લાવસ્કીની અભિનયપદ્ધતિ અભિનયકલા માનવ જીવન જેટલી જ પુરાતન છે. માનવ સમાજના ઇતિહાસ સાથે જ અભિનયકલાનો ઈતિહાસ સંકળાયેલો છે. નાટ્ય અને અભિનયકલાનો વિષય ૨૫૦૦ કરતાંય વધુ વર્ષોથી વિકસતો રહ્યો છે, તેની ચર્ચાઓ સમયે સમયે થતી રહ્યી છે. નાટ્યના ઈતિહાસની તવારીખ ભારતમાં ભરતથી અને ગ્રીસમાં થેસ્પીસથી થાય છે. વિશ્વના પૂર્વ અને પશ્ચિમની નાટ્ય પ્રવૃતિઓનો પરિચય અનુક્રમે ભરત અને એરિસ્ટોટલનાં લખાણો પરથી મળે છે. તે પછી તો આ ક્ષેત્રે ખાસ્સા વર્ષોનો શૂન્યાવકાશ સર્જાય છે. યુરોપમાં અંધકાર યુગ પછી શેક્સપિયરનાં આગમનથી નાટ્ય ક્ષેત્રે પ્રકાશ પથરાય છે. અભિનયકલા વિશે ગ્રંથસ્થ સાહિત્ય તો ખૂબ જ અલ્પ મળે છે. ખાસ કરીને એલિઝાબેથયુગ પછી જ આવું સાહિત્ય ઉપલબ્ધ થાય છે. તેથી સમગ્ર નાટ્યકલાનો એક સાથે તાગ મેળવવો મુશ્કેલ છે. છતાં આ ક્ષેત્રે છેલ્લા કેટલાક વર્ષોમાં થિયેટર, નટ, અને અભિનયકલાની તાલીમ , અભ્યાસ અને સંશોધનના સુવ્યવસ્થિત પ્રયત્નો થયા છે. મહાન નટોએ વ્યવહાર અને પ્રયોગ દ્વારા અભિનયક્ષેત્રે અવનવી શૈલીઓ વિ...