વાગ્દત્ત' અને 'વાગ્દત્તા' વિશે સમજ
પ્રશ્ન : 'વાગ્દત્ત' અને 'વાગ્દત્તા' વિશે સમજ આપશો. ઉત્તર : વ્યાકરણની દૃષ્ટિએ 'વાગ્દત્ત' શબ્દ સાચો છે, પણ વ્યાવહારિક રીતે યોગ્ય નથી, કેમકે ભારતીય હિન્દુ સમાજમાં કન્યાનું દાન કરવામાં આવે છે, કુમારનું નહીં. જૂના કાળમાં જ્યારે કાયદાકીય રીતે લગ્નની લેખિત નોંધ કરવામાં આવતી ન હતી ત્યારે વાણી કે વચનનું મૂલ્ય હતું; એના અનુસંધાને ઘણીવાર દીકરીના સંબંધ - સગાઈ કે લગ્ન (કન્યાદાન) બાબતે વાણી દ્વારા વચન આપવામાં આવતું. આ બાબતને 'વાગ્દાન' (અર્થાત્ સગપણ, કન્યા આપીશ એમ કહેવું) કહેવાય, અને જે કન્યાનું આ પ્રમાણે વાણી દ્વારા દાન થયું છે તેને 'વાગ્દત્તા' કહેવાય છે. એવા પણ દાખલા છે કે પુત્ર કે પુત્રી ગર્ભમાં હોય ત્યારે જ સંબંધ-સગપણના કૉલ - વચન અપાઈ ગયાં હોય, જો બંને દીકરીઓ કે દીકરાઓ જન્મે તો વચન ફોક કરવાનું. જો એક કુમાર અને એક કન્યા જન્મે તો સંબંધ જાળવવાનો. 'વાગ્દત્ત - જેનો વિવાહ કરવાની કબૂલાત મોઢેથી આપી હોય તેવું' શબ્દ ભગવદ્ગોમંડલમાં છે. સ્ત્રીલિંગ શબ્દ 'વાગ્દત્તા'નો ઉલ્લેખ નથી; સાર્થ જોડણીકોશમાં 'વાગ્દત્તા' (અર્થાત્ જેનું વાગ્દાન થયું હોય - સ...