અસાઈન્મેન્ટ 510 ગુજરાતી સેમ -5

 અસાઈન્મેન્ટ 510 ગુજરાતી સેમ -5 

 અસાઈન્મેન્ટ -1 

આપેલ ગદ્યખંડનો સંક્ષેપીકરણ કરો. અથવ  સારાંશલેખ- કરો 

કોઈપણ એક ગદ્યખંડ 

1 ) મનુષ્યમાત્રનો પોતાના પાડોશી પ્રત્યે પહેલો ધર્મ છે . એમાં પરદેશીનો દ્વેષ નથી અથવા સ્વદેશીનો પક્ષપાત નથી . શરીરધારીની સેવા કરવાની શક્તિને મર્યાદા છે .  પોતાના પડોશીને મશ્કેલીથી પહોંચી શકે છે . પોતાના પડોશી પ્રત્યેનો ધમે સહુ બરોબર પાળે તો જગતમાં કોઈ મદદ વિના દુઃખી  થાય . પડોશીની સેવા કરનાર આખા જગતની સેવા કરે છે એમ કહી શકાય . પડોશી પ્રત્યેના ધર્મનું પાલન એટલે જગત પ્રત્યેના ધર્મનું પાલન . જગતની સેવા બીજી રીતે અશક્ય છે ; જે પડોશીને તરછોડે છે ને પોતાના શોખને પૂરે છે તે સ્વેચ્છાચારી છે , સ્વચ્છંદી છે . તે કેવળ પોતાના માટે  જીવે છે . જેને મન આખું જગત કુટુંબ છે તેનામાં બધાની સેવા કરવાની શક્તિ હોવી જોઈએ . જગતની સેવા પડોશીની સેવા વડે  થઈ શકે . – ગાંધીજી

 અથવા 

   આપણા સાહિત્યમાં આજે જીવનને દોરવાની , પુરુષાર્થને નિશ્ચિત પ્રેરણા આપવાની , વિચારને શુદ્ધ કરવાની , ભાવનાને પવિત્ર રાખવાની અને પ્રજાનો અનન્ય વિશ્વાસ મેળવવાની શક્તિ રહી નથી . આજના સાહિત્યે સુંદરતા , નવીનતા , વિવિધતા અને ચમત્કૃતિની ઉપાસના ચલાવી છે . સત્યતા , દઢતા , પવિત્રતા , મંગળતાની ઉપાસના જાણે છોડી દીધી છે . તેથી જૂની ભાષામાં કહીએ તો આજનું સાહિત્ય ‘ આપ્ત ' એટલે કે વિશ્વાસપાત્ર રહ્યું નથી . માટે કેળવણીની શરૂઆતમાં સાહિત્ય ઉપર પહેલાં જેવો આધાર નહિ રખાય . કેળવણીની શરૂઆત હવે તો નિરીક્ષણ , પ્રયોગ અને એને માટે જરૂરી ધ્યાન દ્વારા  થવી જોઈએ . પ્રત્યક્ષ કાયો કરીને , વસ્તુઓને ઘડીને , યોજનાઓ અમલમાં મૂકીને , કલ્પનાઓ કાર્ય દ્વારા કસીને કેળવણીની શરૂઆત કરીએ કે જેથી પાયામાં કચાશ  રહે , નબળાઈ રૂપાળી  લાગે , આત્મવિશ્વાસ પેદા થાય અને પ્રસંગ પડ્યે એકાકી . રહેવાની પણ હિંમત આવે જેમ શંકરાચાર્યે કહ્યું કે અગ્નિ શીતળ છે એમ કોઈ શ્રુતિનાં સો સો વચન ટાંકે તોયે આપણે સ્વીકારતા નથી , તેમ અનુભવની કેળવણી લેનાર માણસ કલ્પનાની જાળમાં ફસાય નહિ . એકલો રહીને પણ  કહેશે કે અનુભવે આજ સુધી મને દગો દીધો નથી તો હું અનુભવને શી રીતે દગો દઉં ?  તો પ્રાચીન ઋષિની પેઠે ગાજી ઊઠશે કે હું સત્યનો ઉપાસક છું , સત્યધર્મા છું .

અસાઈન્મેન્ટ -2 

આપેલ પંંક્તિઓનો  વિચાર-વિસ્તાર કરો / અર્થવિસ્તાર કરો 

"છે માનવી જીવનની ઘટમાળ એવી ;
દુ:ખપ્રધાન સુખ અલ્પ થકી ભરેલી."

અસાઇન્મેન્ટ- 3 

આપેલ કવિતાની રસલક્ષી - આસ્વાદલક્ષી સમીક્ષા કરો

આજ, મહારાજ ! જલ પર ઉદય જોઈને
ચન્દ્રનો, હૃદયમાં હર્ષ જામે,
સ્નેહઘન, કુસુમવન વિમલ પરિમલ ગહન
નિજ ગગન માંહી ઉત્કર્ષ પામે;
પિતા ! કાલના સર્વ સંતાપ શામે !
નવલ રસ ધવલ તવ નેત્ર સામે !
પિતા ! કાલના સર્વ સંતાપ શામે !

જલધિજલદલ ઉપર દામિની દમકતી,
યામિની વ્યોમસર માંહી સરતી;
કામિની કોકિલા, કેલિકૂજન કરે,
સાગરે ભાસતી ભવ્ય ભરતી;
પિતા ! સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી !
તરલ તરણી સમી સરલ તરતી,
પિતા ! સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી !

– મણિશંકર રત્નજી ભટ્ટ ‘કાન્ત’

અસાઇન્મેન્ટ- 4 

આપેલ ગદ્યખંડનું વિવરણ કરો 

આજનું સાહિત્ય સત્ય , પવિત્રતા અને મંગલતાને બદલે માત્ર સુંદરતા , નવીનતા , વિવિધતા અને ચમત્કૃતિના ઉપાસના કરે છે . તેથી હવે કેળવણીની શરૂઆત સાહિત્યને બદલે નિરીક્ષણ , પરીક્ષણ , પ્રયોગ વગર કીરી આવા અનુભવની કેળવણીથી નબળાઈઓ છતી થાય છે અને આત્મવિશ્વાસ દૃઢ થાય છે . અનુભવની કેળવણી લેનાર માણસ પોતાને સત્યના સાચા ઉપાસક તરીકે ઓળખાવી શકે છે .

આજનું સાહિત્ય સત્ય , પવિત્રતા અને મંગલતાને બદલે માત્ર સુંદરતા , નવીનતા , વિવિધતા અને ચમત્કૃતિના ઉપાસના કરે છે . તેથી હવે કેળવણીની શરૂઆત સાહિત્યને બદલે નિરીક્ષણ , પરીક્ષણ , પ્રયોગ વગર કીરી આવા અનુભવની કેળવણીથી નબળાઈઓ છતી થાય છે અને આત્મવિશ્વાસ દૃઢ થાય છે . અનુભવની કેળવણી લેનાર માણસ પોતાને સત્યના સાચા ઉપાસક તરીકે ઓળખાવી શકે છે .


ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પેપર -507 McQ

'નર્મદની કવિતા' પેપર 304 MCQ Sem3